આમોદ,
આમોદમાં મારૂવાસ વિસ્તારમાં દુર્ગંધ મારતી ઉભરાતી ભૂગર્ભ ગટરોના સમાચાર પ્રસારીત થતાં ફફડી ઉઠેલી આમોદ પાલિકાએ યુધ્ધના ધોરણે ગટર સફાઈ કરવાના કામમાં લાગી ગઈ હતી.
આમોદના મારૂવાસ વિસ્તારમા છેલ્લા એક મહિનાથી ભુગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા બની હતી.જેથી સ્થાનિક મહિલાઓ આમોદ પાલિકા કચેરીમા મોરચો લઈ જઈ મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજુઆત કરી હતી.જેના સમાચાર પ્રસારીત થતાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલીક સફાઈ કામદારો મોકલ્યા હતા.જે મારુવાસ વિસ્તારની ભુગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકના બોટલ, દડા તેમજ કપડાના ડૂચા નીકળ્યા હતા.જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઈપો માંથી પ્લાસ્ટિકની ગ્લાસો, ચમચીઓ તેમજ કંતાન જેવા મટીરીયલથી ભુગર્ભ ગટરની લાઈનમાં બુચ વાગી ગયું હતું.જેથી પાણીનો નિકાલના થવાથી ભુગર્ભ ગટરો ઉભરાઈ રહી હતી.નગરપાલિકાના ભૂગર્ભ ગટરની સફાઈ કરતા કામદારો દ્વારા ગટર સફાઈ કરવામા આવતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરે નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા ઘરના ભૂગર્ભ કનેક્શન વાળી જગ્યાએ લોખંડની જાળી મૂકો જેથી આવી વસ્તુઓ પાઈપમાં જાય નહીં અને તમને અને બીજા કોઈ તકલીફમા મુકાય નહીં.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is