– સ્વચ્છતાનો અભાવ,જર્જરિત ઈમારત અને ગંદકીનું સામ્રાજ્ય : તાત્કાલિક તંત્ર દ્વારા પગલાં ભરવા માંગ
– આરોગ્ય કેન્દ્ર જ બીમાર હોવાથી સ્વસ્થ્ય કરવા આંદોલનની ચીમકી : યુથ પાવર વાલિયાના અગ્રણીએ મુલાકાત લીધી
ભરૂચ,
વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રની દયનીય હાલત
જોવા મળી રહી છે.પ્રાથમિક સુવિધાના અભાવના કારણે દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.તો યુથ પાવર ની ટીમે મુલાકાત લઈ વહેલી તકે યોગ્ય પગલા ભરી સુવિધા આપવા માંગ કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વાલિયા તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર જ બીમાર હોવાના આક્ષેપ સામાજિક સંગઠન યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.આરોગ્ય કેન્દ્રમાં રોજના ૧૫ થી વધુ દર્દીઓ વિવિધ રોગની સારવાર માટે આવતા હોય છે.જેમાં દર્દીઓને દાખલ કરવાની જરૂરિયાત વાળા દર્દીઓને દાખલ પણ કરી મુખ્ય ડૉક્ટર સહિત ૧૦ જેટલા સ્ટાફ દ્વારા સારવાર પણ આપી રહ્યા છે.એક તરફ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ અને સ્ટાફ દર્દીઓને સાજા કરવાનું કામ કરી રહ્યા છે.પરંતુ સ્વચ્છતાનો અભાવ,જર્જરિત ઈમારત અને ગંદકીનું સામ્રાજ્ય હોવાની ફરિયાદ વાલિયા યુથ પાવરની ટીમને મળતા તેઓએ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા હોવાનું,ગંદકીનું સામ્રાજ્ય અને જર્જરીત ઈમારત જો ચોમાસામાં પડી જાય અને રોગચાળો હોસ્પિટલ માંથી જ શરૂ થાય તેવા આક્ષેપ સાથે તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે તો યુથ પાવર દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is