best news portal development company in india

કંપનીમાં અકસ્માતમાં ઈજા બાદ લાચાર બનેલ આદિવાસી સમાજના યુવકની મદદ માટે અપીલ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

શ્રી કબીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે રહેતા અને અંકલેશ્વર તિરૂપતિ કંપનીમાં અકસ્માતમાં ઈજા બાદ લાચાર બનેલ આદિવાસી સમાજના સભ્યને મદદ માટે ગુહાર લગાવવામાં આવી છે.નેત્રંગ તાલુકાના મનીષભાઈ નરેશભાઈ વસાવાને અંકલેશ્વરની તિરુપતિ એન્જીનન્યારિગ કંપનીમાં કોઈ સુરક્ષા વિના કરાવવામાં આવતા તેઓ સેડ ઉપર પતરા ચડાવતા પોતાનો પગ લપશી જતાં જમીન પર પટકાયા હતા જેઓને કમરનો નીચેનો ભાગ હલન ચલન થતો નથી.જેઓ હાલ લાચાર બન્યા છે.ત્યારે તેઓ હાલ પોતાની કંપની દ્વારા કોઈપણ જાતની સહાય કરવામાં આવી નથી તેવો આક્ષેપ કબીર ચેરીટેબ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે આ લાચાર બનેલ આદિવાસી સમાજના વ્યક્તિની સંસ્થાઓ કે દાતાઓ મદદ માટે આગળ આવે તેવી ગુહાર લગાવવામાં આવી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!