best news portal development company in india

નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા ૧૫૦૦ ફૂટ સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે નર્મદા જયંતીએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા ૧૫૦૦ ફૂટ સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા,નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ મા નર્મદા જયંતી નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી જેમાં એક મોટી નાવડી અને ૧૦ હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી ૧૫૦૦ ફૂટ સાડી (ચુંદડી) નર્મદાને મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠયો હતો.નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનનો પણ લ્હાવો લીધો હતો.
આજે નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા ૧૫૦૦ ફૂટ (૫૦૦ મીટર) સાડી (ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો હતો.જેમાં વાજતે ગાજતે ગામમા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કળશ કન્યા,મહિલા મંડળની બહેનો સહીત ગ્રામજનો મોટી સંખ્યા જોડાયા હતા.એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યાપૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયા બાદ દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા.સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરીત કરવામાં આવી હતી.ત્યાર બાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમપણ રાખેલ છે.માંગરોળ મંગલેશ્વર ઘાટપાસે આ કાર્યક્રમનું આયોજનસમસ્ત ગામ વતીકરવામાં આવ્યુ હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!