નેત્રંગમાં તલાટીઓ હવે ગામમાં બેસીને કામગીરી કરશે!

SHARE:

– મામલતદાર કચેરીએ ગામવાર-દિવસવાર સમયપત્રક જાહેર કર્યું

(વિજય વસાવા,નેત્રંગ)

ગ્રામજનોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તે માટે નેત્રંગ મામલતદાર કચેરી દ્વારા તલાટીઓની ગામવાર હાજરીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા કલેક્ટરના હુકમના અનુસંધાને તલાટીઓએ નિયત દિવસોમાં સંબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહી કામગીરી કરવાની રહેશે.આદેશ મુજબ પંકજભાઈ બી.વસાવા અરેઠી અને નાના જાંબુડા, કૃતિકકુમાર બી. ભગત મોટા માલપોર અને નેત્રંગ, તેજલકુમારી બી.ગામીત કેલીકુવા અને મોરીયાણા, તેજલબેન કે.ચૌધરી મોઝા અને કોયલી માંડવી, જયેશભાઈ આર. ચૌધરી વણખુટાઅને આંજોલી તથા અંકિતકુમાર એમ. વસાવા ગાલીબા,ખરેઠા અને કાંટીપાડા ગામે નિયત દિવસોમાં હાજર રહેશે.ગુરુવારે મામલતદાર કચેરી ખાતે સમીક્ષા અને શનિવારે સેજા હેઠળના ગામોમાં ક્ષેત્રીય કામગીરી કરવામાં આવશે.આ હુકમનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. ચૂંટણી અથવા અન્ય અગત્યની રાષ્ટ્રીય કામગીરી દરમિયાન આ સમયપત્રક લાગુ રહેશે નહીં.

સરપંચોને તલાટીઓની મુલાકાત દરમ્યાન પંચાયત કચેરીમાં બેઠક અને જરૂરી રેકર્ડની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!