સીતારામ સેવા ટ્રસ્ટ વાલીયા ખાતે જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે

SHARE:

ભરૂચ,

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે જીલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સીતારામ સેવા ટ્રસ્ટ,આઈ.ટી.આઈની સામે તા.વાલીયા જી.ભરૂચ ખાતે સવારે ૯ કલાકે રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.જેમાં સરકારી, અર્ધસરકારી સંસ્થાના અધિકારીઓ/કર્મચારીઓ તથા જાહેર જનતાને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

૧૫ મી ઓગસ્ટ-૨૦૨૫ સ્વાતંત્ર્ય દિન નિમિતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તથા સરકારી અર્ધસરકારી સંસ્થાના અધિકારીઓ/કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને સહયોગ મળી રહે તે અંગે અપીલ કરવામાં આવે છે.તેમ નિવાસી અધિક કલેકટર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!