ભરૂચના યુવાને રમત રમતમાં શરૂ કરેલી કળા આજે આસ્થાનું કેન્દ્ર બની

SHARE:

– ૨૩ વર્ષીય બ્રિજ ભટ્ટ ગણેશજીની પ્રતિમા બનાવવાની કળાથી મેળવી રહ્યો છે આગવી ઓળખ

ભરૂચ,

બાળપણમાં રમત-રમતમાં માટીને આકાર આપવાની શરૂ કરેલી નાનકડી કોશિશ આજે ૨૩ વર્ષીય યુવા કલાકાર બ્રિજ ભટ્ટ માટે કળા,આસ્થા અને રોજગારનું માધ્યમ બની છે.નાનપણથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાનો શોખ ધરાવતા બ્રિજએ સમય સાથે પોતાની આ કળાને વધુ નિખારી છે.

ભરૂચના ભોલાવ ગામમાં રહેતો બ્રિજ ભટ્ટની બાળપણમાં માત્ર શોખ તરીકે શરૂ થયેલી કળા આજે ગણેશજીની સુંદર અને આકર્ષક પ્રતિમાઓના સર્જન સુધી પહોંચી છે.માટી, રંગ અને પોતાની કલ્પના શક્તિના સંયોજનથી બ્રિજ ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી ગણેશજીની પ્રતિમાઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.બ્રિજ ભટ્ટની આ કળાને નવી દિશા આપવામાં પરિવારજનો જેમાં ખાસ કરીને તેમના પિતા સંદીપભાઈ ભટ્ટનો સતત સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે.પરિવારના પ્રોત્સાહનના કારણે બ્રિજ ભટ્ટને પોતાની પ્રતિભાને કારકિર્દીનું સ્વરૂપ આપવાની તક મળી અને આજે તે ગણેશજીની વિવિધ આકારની પ્રતિમા બનાવવાની કળાને પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે.દરેક પ્રતિમા પાછળ કલાકોની મહેનત, સર્જનાત્મકતા અને ભગવાન ગણેશ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા જોવા મળે છે.માટીને આકાર આપતી વખતે માત્ર મૂર્તિનું સર્જન નહીં,પરંતુ તેમાં આસ્થા,સંસ્કાર અને ભક્તિની લાગણીને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.આજે જ્યારે યુવાનો નવી દિશામાં કારકિર્દી બનાવવાની દોડમાં છે,ત્યારે બ્રિજ ભટ્ટની આ સફર પરંપરાગત કળાને જાળવી રાખીને તેને રોજગાર અને ઓળખનું માધ્યમ બનાવવાની પ્રેરણા આપે છે.બાળપણની નાનકડી કોશિશથી શરૂ થયેલી આ સફર આજે ભક્તોની આસ્થાને આકાર આપતી કળામાં પરિવર્તિત થઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!