best news portal development company in india

રાજપીપળાના રાજવી રાજવંત પેલેસમાં લાઈસન્સ વાળી પિસ્તોલની ચોરી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળાના રાજવંત પેલેસમાં રાજવી પરિવારની પિસ્તોલ ચોરાયાની ઘટના બની છે.આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે રાજપીપલા પોલીસમાં ફરિયાદ આપી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા મહારાજા રઘુવીરસિંહ ગોહિલની લાઈસન્સ વાળી સિંગલ બેરલ કેલિબર ૪૫ બોર પિસ્તોલની ચોરી થઈ છે.આ પિસ્તોલ અમેરિકાની પ્રસિદ્ધ કોલ્ટ ઓટોમેટિક કંપનીમાં બનેલી છે અને તેનું મૂલ્ય આશરે ૩ લાખ છે.

આ કેસની વિગત એવી છે કે મહારાજા રઘુવીરસિંહ ગોહિલની ઉંમર વધવાને કારણે તેમના હથિયારનું લાઈસન્સ રિન્યુ નહીં થાય તેથી પિસ્તોલ પોલીસ મથકમાં જમા ક૨વાની સૂચના આપવામાં આવી હતી.જેથી યુવરાજ માનવેન્દ્રસિંહ પોલીસ મથકમાં પિસ્તોલ જમા કરાવવા માટે સ્ટોર રૂમમાં રાખેલી પિસ્તોલ લેવા ગયા ત્યારે તે મળી આવી ન હતી.આ પિસ્તોલ સફેદ કાપડમાં બાંધીને સ્ટોર રૂમમાં રાખવામાં આવી હતી જેની ચાવી રઘુવીરસિંહ પાસે રહેતી હતી.ત્યારે ફરિયાદમાં માનવેન્દ્રસિંહે જણાવ્યું કે તેમના પિતાજીની મહારાજા રઘુવીરસિંહ ગોહિલની સેવામાં રહેલા કર્મચારી સંજય રાજા જે છેલ્લા એક વર્ષથી રાજવંત પેલેસમાં કામ કરતો હતો.જે એક અઠવાડિયા પહેલાં કોઈને

જાણ કર્યા વિના ગાયબ થઈ ગયો હતો.જયારે આ બાબતે પેલેસમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને ઘરનાસભ્યોને પૂછપરછ કરવામાં આવી હતી.પરંતુ હથિયાર વિશે કોઈ જાણકારી મળી ન હતી.તેથી આ પિસ્તોલની ચોરી સંજય રાજાએ જ કરી હોવાની શંકાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.રાજવી કુટુંબના હથિયારની ચોરીની આ ઘટનાએ શહેરીજનોમાં ચિંતા ફેલાવી છે.

રાજપીપળા પોલીસ હાલમાં સંજય રાજાની શોધખોળ કરી રહી છે અને ચોરીના આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે પણ તપાસ કર્યા બાદ આરોપીને રાજપીપલા પોલીસે શોધી કાઢી પિસ્તોલ કબ્જે કરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!