પાવીજેતપુરના ભીંડોલની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા મંત્રીનું સરપ્રાઈઝ ચેકીંગ

SHARE:

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

પાવીજેતપુરના કલારાણી ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમ બાદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ભીંડોલ ગામે સસ્તા અનાજની દુકાનમાં ઓચિંતી મુલાકાત લીધી હતી.ચેકીંગ દરમ્યાન મંત્રીએ અનાજ વિતરણ લે વેચ,અનાજ યોગ્ય આવી રહ્યું છે કે કેમ? સહિતની કામગીરી સંદર્ભે પુછપરછ હાથધરી હતી.જો કે કોઈ પણ ચીજવસ્તુઓ વાંધાજનક નહીં મળતાં પુરવઠાની ટીમો સહિત સરકારી કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.આ તકે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી , મામલતદાર પાવીજેતપુર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!