જંબુસરના કલકના તલકેશ્વર મહાદેવનો અનન્ય મહિમા : વ્યતિપાત યોગના દિવસે મેળો ભરાશે

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જીલ્લાના જંબુસરથી આશરે પ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે.આશરે સો વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે.તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું.જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમા આવેલ તળાવનું પાણી પીએ ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનો એ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું.ત્યાંરથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.

પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે.પહેલાંના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે.શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે. વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનવાંછીત ફળ મળે છે.ચાલુ વર્ષે પ્રતિ વર્ષની જેમ તારીખ ૨૧મી ઓગષ્ટને ગુરુવારના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા સરપંચ ઈન્દ્રવદન લીમ્બચીયા અને પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!