Follow Social Media Platform https://qr.link/wcpMXt
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે.હોળી ધુળેટી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે.નર્મદા જિલ્લામાં ૮૦ ટકા આદિવાસી લોકો વસે છે.હોળી ટાણે આદિવાસીઓ પોતાના વતન માટે પાછા ફરે છે.હાલમાં પ્રાંતમાં મજૂરી અર્થે ગયેલા આદિવાસીઓ નર્મદામાં પોતાના માદરે વતન પાછા ફર્યા છે. નર્મદા વડામથક રાજપીપળામાં હલ હોળી ની ધૂમ ખરીદી શરૂ થઈ છે.હાલ બજારમાં ધાણી, ચણા, ખજૂર, કોપરા, ઘઉંની સેવનો ઢગલો માલ બજારમાં ખડકાયો છે. દર વર્ષ કરતાં ધાણી,ચણા,ખજૂરના ભાવ વધારે હોવાથી છતાં બજારમાં ખરીદીમાં ઓટ આવી છે.જોકે છેલ્લી ઘડીએ ઘરાકી નીકળશે એવી આશા વેપારીઓ સેવી રહ્યાં છે.હોળી ટાણે રાજપીપળા ઉપરાંત દેડિયાપાડા,સાગબારામાં હોળીના ખાસ હાથ ભરાય છે.જેમાં પર પ્રાંતમાંથી પાછા ફરેલા આદિવાસી હોળીની ધૂમ ખરીદી કરે છે.જેમાં ધણી,ચણા,કોપરા,ઘઉની સેવ ખરીદી હોળીની પૂજા કરે છે.આદિવાસીઓનું હોળીના ગીતો ગાયને હોળીના વધામણા લે છે.
રાજપીપળાના બજારમાં લીમડાચોક, શાકમાર્કેટ, સફેદ ટાવર પાસે, સ્ટેશન રોડ,લીમડા ચોક, વિસ્તારમાં ઘણી,ચણા,ખજૂર,કોપરાનો નવો ઢગલો માલ ખડકાયો છે.જેની ખરીદી શરૂ થઇ છે.પણ હજી જોઈએ તેવી ખરીદી જોવા મળતી નથી દરેક વસ્તુના ભાવમાં જીએસટીને કારણે ૧૫ ટકા જેવો વધારો નોંધાતા ગ્રાહકોની હોળી ધુળેટી મોંઘી પડશે.બજારમાં મંદીનું મોજું હોઈ ખરીદી અને ગભીડ ઓછી છેલ્લી ઘડીએ ખરીદી નીકળે એવી વેપારીઓને આશા છે.તેની સાથે સાથે રંગો,રંગબેરંગી વિવિધ પીચકારીઓનો નવો ઢગલો માલ ખડકાતા તેની પણ ખરીદી શરૂ થઈ છે.ધાણી,ચણા,ખજૂર,કોપરા કફનાશક હોય શરદી,ખાંસી,કફ જેવી બીમારીઓ ખાવાથી દૂર થાય છે.શિયાળાની ઠંડીમાં કફ,ખાંસીની બીમારી વધતા ફાગણમાં કફનો નાશ થાય તેવા પદાર્થોનું સેવન કફ માટે ફાયદા કારક છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is