આમોદ,
આમોદ તાલુકાના આછોદ રહેતાં ચાર સંતાનોના પિતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરતાં પોલીસે અક્સ્માત ગુનો નોધી આગળની તપાસ હાથધરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યાં અનુસાર મૂળ વાગરા તાલુકાના સારણ ગામના રહેવાસી પરંતુ વર્ષોથી આછોદ ગામે રહેતા લક્ષ્મણભાઈ રમણભાઈ રાઠોડ ઉ.વ.૩૮ નાએ પોતાના ઘરમાં જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીઘી હતી.જેમને સારવાર માટે ૧૦૮ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યાં હતા.જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બે દીકરી અને બે દીકરાના પિતાએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કરતાં પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું.આમોદ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is