ભરૂચ,
જીલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે,ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સવારે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજ અને બ્લેક્ટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૪ વાહનો ટ્રક નંબર -(૧) જીજે ૧૬ ડબલ્યુ ૭૩૫૦ (૨) જીજે ૧૬ ઝેડ ૮૨૫૭ (૩) જીજે ૦૧ સીયુ ૮૦૭૬ (૪) જીજે ૧૬ એડબલ્યુ ૭૭૬૯ ને સીઝ કરી કુલ ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી
રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is