– નર્મદામાં ૧૦ હજાર કરતા વધુ હેકટર જમીનમાં કેળાનું વાવેતર થયું હજમીન દોસ્ત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગઈકાલ રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે જેમાંથી નર્મદા જીલ્લો પણ બાકી નથી રહ્યો. નર્મદા જીલ્લામાં કેળ અને કેરીને મોટું નુકસાન થયું છે.નર્મદા જીલ્લો ૪૩ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે.જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર છે. એમ પણ વરસાદી ખેતી પર નભતા લોકોની ટકાવારી વધુ છે.આમતો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસ ની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે.હાલ ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જીલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે.ખેતરમાં કેળ અને કેરી ના ઉભા પાકને મોટા પાયે નુકશાન થયું છે.નર્મદા જીલ્લામાં ૧૦ હજાર કરતા વધુ હેકટર જમીન માં જે કેળાનું વાવેતર હતું જે જમીન દોસ્ત થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.સાથે સાથે હવે હાલ કેરી ની સિઝન છે ત્યારે નર્મદામાં અનેક ખેડૂતોએ આંબાવાડી કરેલ છે.જે કેરી પણ આંબા પરથી જમીન દોસ્ત થઈ જતા હવે કેરી લોકો માટે ખાટી લાગશે.કારણ કે કેરીમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે.ત્યારે વારંવાર જે ખેડૂતોને નુકશાન થવાથી ખેડૂતો પાયમાલ થવા માંડ્યા છે અને હવે સરકાર પાસે પણ વળતરની માંગ કરી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is