મનસુખ વસાવા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરતા ઈસમની અટકાયત

SHARE:

– રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે જમાઈ વિક્રાંત વસાવાએ ગુનો નોંધાયો હતો : અન્ય બે ઈસમો ફરાર

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુનો નોંધાયો હતો.જેમ એકની પોલીસે ધરપકડ કરી છે તો બેની શોધખોળ હજુ ચાલુ છે.

ગત ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપાએ વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી.આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશ્યલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી જે બાબતે સાંસદના જમાઈ વિક્રાંત વસાવાએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે કેસમાં ત્રણ ઈન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે.જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે.જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવતા ત્રણ માંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે.પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ બનાવી આ ઈસમને ભારે પડી હતી.હાલ તો આ આરોપીને ઝડપી પાડી નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું વિરલ ચંદન DYSP નર્મદાએ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!