best news portal development company in india

ભરૂચ જીલ્લામાં 3 કોરોના પોઝિટિવ છતાં પાંચબત્તી સર્કલ નજીક ક્રિકેટ રસિકોનો મેળાવડો જામ્યો

SHARE:

– પાંચબત્તી સર્કલનું નિર્માણ કાર્ય ચાલતું હોવા છતાં વિવિધ વિસ્તાર માંથી આવેલા લોકો સર્કલ પર ચઢ્યા : લોકોની ભીડ કોરોનને આમંત્રણ આપી શકે છે?
ભરૂચ,
ભરૂચનું પાંચબત્તી સર્કલ ક્રિકેટ રસિયાઓ માટે ખુશી અને ઉત્સાહ મનાવવા માટે બન્યું હોય તેમ લોકોનો મેળાવડો જામતા પોલીસ પણ હવે લાચાર બની હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચમાં એક મહિલા તેમજ દંપતિ કોરોના પોઝિટિવ હોવા છતાં ક્રિકેટ રસિકો આઈપીએલમાં આરસીબી ની જીત થતા પાંચબત્તી માં વિજય ઉત્સવ મનાવવા માટે મેળાવડો જમાવ્યો હતો અને હાથમાં ફટાકડા ફોડી રહ્યા હતા આ દરમ્યાન કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ?જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ કાર્યવાહી કરે તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચમાં પંજાબ સામે આરસીબીનો વિજય થતા તેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.જેમાં ભરૂચમાં પાંચબત્તી સર્કલનું નિર્માણ કાર્ય ચાલુ હોય અને એક દંપતી સહીત એક મહિલા કોરોના પોઝિટિવ હોય અને સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવા છતાં પાંચબત્તી સર્કલ ખાતે ક્રિકેટ રસિક પ્રેમીઓ મોટી સંખ્યામાં મેળાવડો જમાવતા કોરોનાને આમંત્રણ આપતા હોય તે પ્રકારે અલગ અલગ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકોના મળેવડા જામ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.સાથે સર્કલ નું નિર્માણ કાર્ય ચાલુ હોવા છતાં લોકો સર્કલ પાર ચઢી ગયા હતા જેથી નુકશાન થાય તેવી શક્યતા જોવા મળી હતી.તો બીજી તરફ કેટલાક ઈસમો દ્વારા ગમે ત્યાં ફટાકડા ફોડવા સાથે હાથમાં ફટાકડા ફોડતા કોઈ દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું.ત્યારે સવાલ એ છે કે આવા સમયમાં કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? ત્યારે પોલીસે કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે.
ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચમાં ઈન્ડિયાની જીત થાય તો વિજય ઉત્સવ મનાવવા માટે લોકો એકત્ર થાય તે માનવામાં આવે પરંતુ હવે તો અન્ય મેચમાં પણ કોઈ ટિમ વિજેતા બને તો ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તીમાં મોટી સંખ્યામાં એકત્ર થાય છે અને ચારેય બાજુ ટ્રાફિકજામ સર્જાતો હોય છે તે કેટલું યોગ્ય કહી શકાય.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!