best news portal development company in india

અમદાવાદ પ્લેન ક્રેશ: 192 પરિવારના DNA સેમ્પલ લેવાયા, 5 મૃતદેહની ઓળખ, 250થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ

SHARE:

એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192 લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના આપી તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ: 192 પરિવારના DNA સેમ્પલ લેવાયા, 5 મૃતદેહની ઓળખ, 250થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ 2 - image

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી  80 ડોક્ટર્સ ગુરૂવારથી કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને  સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે.  આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી  રહી છે.

સિવિલ હોસ્પિટલના કસોટી ભવન DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઇ

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં મૃતકોના નજીકના સગા–સંબંધીઓ માટે DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને માતા પિતા કે સંતાનોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. જો કે, DNA મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને આ રિપોર્ટ આવતા ત્રણ દિવસનો સમય લાગશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા બે ફોન નંબર

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે 6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર 

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!