– જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહિના અગાઉ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા અરજદારને ખાતરી આપી હતી
– આ ઘટનાના અરજદાર કેતવ દેસાઈ દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
રાજ્યભરમાં સરકારી જમીન પડતર જમીન અથવા ગૌચરની જમીનમાં ધાર્મિક સંસ્થાનો દ્વારા દબાણ કરી તેની પર બાંધકામ કરવાનું સામાન્ય બન્યું છે,ત્યારે આવી જ એક ઘટના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે બનવા પામી છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના કેતવભાઈ દેસાઈ દ્વારા ૨૦૨૪ માં આ બાબતે જવાબદાર વહીવટી તંત્રનો ધ્યાન દોર્યું હતું અને તંત્રને જણાવ્યું હતું કે ગોવાલી ખાતે આવેલ સર્વે નંબર ૧૬૯ વાળી ગૌચરની જમીનને અડીને આવેલા સર્વે નંબર ૩૪૩ માં કબ્રસ્તાન આવેલ છે આ કબ્રસ્તાન વાળી જમીનનો ઉપયોગ માત્ર દફનવિધિ પૂરતો કરવાનો હોય છે,કબ્રસ્તાન વાળી જમીનમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી, આમ છતાં આ કબ્રસ્તાનને અડીને આવેલી ગૌચરની જમીનમાં ગેરકાયદેસરથી કોઈપણ પ્રકારની બાંધકામની પરવાનગી વિના પણ બિનઅધિકૃત રીતે ધાર્મિક ઇમારત ઊભી કરી દેવામાં આવેલ છે,ગૌચરની જે જમીનમાં થયેલા અનઅધિકૃતિ ઇમારતી બાંધકામ બાબતે આવાર નવાર ગ્રામ પંચાયતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.આમ છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કરી આ અનઅધિકૃત ધાર્મિક ઈમારતો રાતોરાત ઊભી કરી દેવામાં આવેલ છે,તેમજ હાલમાં પણ ગૌચરની જમીનમાં અન્ય અનઅધિકૃત ધાર્મિક ઇમારતનું બાંધકામ ચાલુ છે,સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશ અનુસંધાનમાં મહેસૂલ વિભાગ દ્વારા ૧૯.૪.૨૪ થી ઠરાવ કરી જીલ્લાકક્ષાએ તાલુકા પંચાયત તેમજ ગ્રામ્ય કક્ષાએ ધાર્મિક દબાણ દૂર કરી સમિતિ રચના કરી અનઅધિકૃત ધાર્મિક દબાણ શોધી તેમાં તેને તાત્કાલિક અસરથી દૂર કરવા સૂચનો પણ આપવામાં આવેલ છે તેમ છતાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા ઘણા કેસોની અંદર તેનો અમલવારી કરવામાં આવતો નથી! જેથી અરજદારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનમાં થયેલા અને અનઅધિકૃત દબાણે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવા તાત્કાલિક અમલ કરવા જણાવ્યું હતું.આ વાતને એક વર્ષ વિતવા છતાં પણ જવાબદાર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, ગ્રામ પંચાયત ગોવાલી દ્વારા તા.૨૮.૧.૨૪ ના રોજ પણ દબાણ કરતાં નિયાઝ બાપુને જણાવ્યું હતું કે ખાતા નંબર ૪૫૬ માં કબ્રસ્તાનમાં હજરત બાલાપીર દરગાહ આવેલ છે,દરગાહના વ્યવસ્થાપન અને ગ્રામજનોની દફનવિધિ કરવા જરૂરી સાધન સામગ્રી મૂકવા હતું એક ઓરડો બનાવવા માટે બાંધકામની પરમિશન આપવામાં આવેલી હતી, પરંતુ તેમના દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ બાંધકામની પરમિશન કરતાં વધુ પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલ છે અને હાલમાં પણ બાંધકામ ચાલુ છે, જે બાબતે વારંવાર બાંધકામ ન કરવા ગ્રામ પંચાયતે જણાવવામાં આવેલ હતું પરંતુ તેમના દ્વારા બાંધકામ ચાલુ રાખેલ હતું.જેથી લાગુ ગૌચરની જમીન આવેલી હોય સવાલવાલી કબ્રસ્તાનની જમીનની માપણી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરવા જણાવ્યું હતું, વધુમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ધાર્મિક પ્રશ્ન કે અન્ય પ્રશ્નો ઉપસ્થિત થશે તો સઘળી જવાબદારી નિયાઝ બાપુની રહેશે તેમ ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું.ત્યાર બાદ અરજદાર કેતવ દેસાઈ દ્વારા ફરિયાદ નિવારણ માં પણ તેમની અરજી આપી હતી જેના સંદર્ભે તા.૧૭.૧.૨૬ ના રોજ સર્કલ વિતરણ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવેલ કે કબ્રસ્તાન અને ગૌચરના હદ નિશાન નક્કી થયેથી અને આ કામના દરગાના વહીવટ કરતાં દ્વારા ફાળવેલ જમીનના આધાર પુરાવા રજૂ થયેથી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી થઈ શકે એમ છે તેમ જણાવ્યું હતું, ત્યારબાદ તે બાબતનું પંચરોજ કામ પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેતવ દેસાઈને એક માસ અગાઉ મુદત આપવામાં આવી હતી કે ૧૫ દિવસમાં સદર માપણી તેમજ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે પરંતુ તેને એક માસ વિતવા છતા હાલ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી તેમ અરજદાર કેતવભાઇ દેસાઈ જણાવ્યું હતું.




