– ઉપરવાસ માંથી 20687 ક્યુસેક પાણીની આવક : નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર : નર્મદાની મેન કેનલમાં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ની આવક શરૂ થઈ ગઈ છે.ખાસ કરીને ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતાં નર્મદા ડેમમાં પાણી આવક વધવાં માંડી છે.
ઉપરવાસ માંથી હાલ 20687 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે.ચોમાસુ શરૂ થતા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે.હાલ નર્મદાની મેઈન કેનલ માં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉપરવાસ માંથી પાણીની આવક શરૂ થતાં નર્મદા ડેમની સપાટીપણ હવે વધશે.જોકે નર્મદા ડેમમાં હાલ 53% પૂરતા પાણીનો જથ્થો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is