ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

SHARE:

– ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ભાજપાની જંગી રેલી 

– આપ,કોંગ્રેસ ના 200થી વધુ આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ  યોજાયો હતો.ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ભાજપાની જંગી રેલી રોડ શો યોજાયો હતો.જેમાં પૂર્વ આદિવાસી કેબિનેટ મંત્રીને ગુજરાત પ્રદેશ આદિજાતી મોરચા પ્રદેશ પ્રમુખ બનાવ્યા એવા  ગણપત વસાવાને સન્માનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત રાજ્યના આદિજાતી કલ્યાણ મંત્રી નરેશ પટેલ,મંત્રી ઈશ્વર પટેલ,પ્રદેશ ભાજપા મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા,  છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા,નાંદોદના ધારાસભ્ય ધારાસભ્ય ર્ડા.દર્શનાબેન દેશમુખ,જિલ્લા પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત રહ્યા હતા.ભવ્ય આદિવાસી સંમેલન અને આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં સમગ્ર નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં 

આદિવાસીઓનું ગૌરવ કે જેમણે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો રદ્દ કરવા ગુજરાત વિધાનસભામાં બિલ લાવી,કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા અને આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીના કેમ્પસના ભવ્ય વિકાસ માટે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવવી.એવા વિધાનસભાના પૂર્વ સ્પીકર, પૂર્વ આદિવાસી કેબિનેટ મંત્રી ને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ આદિજાતી મોરચા પ્રદેશ પ્રમુખ બનાવ્યા એવા શગણપતભાઈ વસાવાનું તીર કામઠા, યાં મોગી ની તસવીર ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે ગઈ વખતે ડેડીયાપાડા ધારાસભ્યની સીટ આપને આપવાની ભૂલ કરી એ ફરી વખત ભૂલ ના થાય એ વાત કરવા હું આવ્યો છું.ચૈતર વસાવાના ગઢમાં આવીને ચૈતર વસાવા સામે નામ લીધા વિના આકારા પ્રહારો કર્યા હતા.આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે.સાંસદ મનસુખ વસાવાની ગંગા પૂર ડેમ બનાવવાની પણ ખાત્રી આપી હતી. 

ગણપત વસાવાએ કહ્યું હતું કે આજની ડેડીયાપાડાની જંગી સભાં અને રેલી કોંગ્રેસ અને આપ કરતાં મોટી રેલી નું પ્રદર્શન કરવા માટે અભિનંદન આપું છું. આ તો ટ્રેલર છે ચૂંટણી વખતે ખબર પડી જશે.ભરૂચને નર્મદા ગરૂડેશ્વર તાલુકો, ડેડીયાપાડા ને ચીકદા તાલુકો ભાજપની સરકારે આપી 150 કરોડના ખર્ચ આદિવાસી મ્યુઝીયમ એકતા નગર ખાતેભાજપાની સરકારે સ્થાપી.બન્ને એક નંબરની ચાલુ ખોટી પાર્ટી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે સુવર્ણ કાળ ભાજપ નો રહ્યો છે આદિવાસી સમાજ અને ભાજપ એક સિક્કા ની બે બાજુ છે વિકાસ માટે ડબલ એન્જીનની સરકાર તૈયારછે ગેરમાર્ગે દોરનારા લોકોથી દૂર રહી ડેડીયાપાડા સહીત નર્મદા તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં ભાજપનો જવલંત વિજય થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આજે હર્ષ સંઘવી અને મંત્રીઓની ઉપસ્થિતીમાં પ્રફુલ વસાવા નાંદોદ આપ પાર્ટીના ઉમેદવાર સાથે ભરૂચના રાજ વસાવા આપનો છેડો ફાડી  ભાજપનો ખેસ પહેરી ભાજપામાં જોડાયા હતાં.બીજા કૉંગેસ સહિત 200થી વધુ કાર્યકરો ભાજપા માં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!