best news portal development company in india

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બિસ્માર : ઠેર ઠેર મોટા મોટા ખાડાઓથી અકસ્માતનો ભય

SHARE:

– ઝઘડિયા,રાજપારડી,ઉમલ્લા ચાર રસ્તા નજીક મોટા ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ચોમાસાની શરૂઆત થતાં પ્રથમ વરસાદથી જ સરદાર પ્રતિમા ધોરીમાર્ગને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે.ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદમાં જ અને સતત ઓવરલોડ ખનીજ વહનના કારણે માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.વરસાદનું આગમન થતાં જ ઠેર ઠેર ખાડાઓ પડવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.માર્ગ ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.કમોસમી માવઠા દરમ્યાન જ માર્ગ પર ખાડાઓ પડી ગયા હતા ત્યારબાદ દસ-બાર દિવસનો માર્ગ અને મકાન વિભાગ પાસે સમય હતો તેમ છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નહીં અને ત્યાર બાદ રાબેતા મુજબ વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી ખાબકતા ચાલુ વરસાદે ખાડાઓ પુરવાનુ કામ વિભાગ દ્વારા કરાઈ રહ્યું છે.ચાલુ વરસાદે થયેલ સમારકામ બીજે દિવસે સવારે જ ધોવાઈ જતું હોય છે.જેના પગલે સમારકામ માં ખર્ચેલ નાણાં વેડફાઈ જઈ રહ્યા છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.

તવડી ગામથી લઈ અંકલેશ્વર સુધીનો સરદાર પ્રતિમા ધોળીમાર્ગ સદંતર ધોવાઈ ગયો છે અને દર વર્ષે જ આ પ્રમાણે ઓવરલોડ ખનીજ વહનના કારણે માર્ગ બિસ્માર બને છે.પરંતુ એવું કંઈક યોગ્ય સમારકામ થતું નથી જેના કારણે દર ચોમાસા દરમ્યાન બિસ્માર બનતો માર્ગ અટકી શકે અને નાના મોટા વાહન ચાલકોને ખાડાઓથી રાહત મળી શકે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!