ભરૂચ,
ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવતા શાળાના બાળકો હાથમાં પ્લેકાર્ડ લઈ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમ્યાન કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો,બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર સાથે અન્ય માહિતી માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કાર્ય શિબીર અને જનજાગૃતિનું આયોજન સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા રાખવામાં આવી હતી.અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી અબોલ,પશુ પક્ષીઓ ઘાયલ થવાના કે ક્યારેક મોતને ભેટવાના બનાવો બનતા હોય છે.ત્યારે પતંગ રસિકોની ઉત્તરાયણની ઉજવણીના ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે લોકોમાં કરૂણા જાગે અને તેઓની સુરક્ષા માટે જન જાગૃતિના આશ્રય સાથે ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા લિંકરોડ પર આવેલ ઉન્નતિ વિદ્યાલયથી શકિતનાથ સર્કલ સુધી કરૂણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકો દ્વારા હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.બી.ડાભી,ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ,એચ પી યાદવ, વન રક્ષક વિશાલ ચૌહાણ,સંજય ગોહિલ,રુચિબેન શર્મા,નોર્મલ રેન્જમાં ફોરેસ્ટર કે ડી પાટીલ સહિત વન વિભાગના કર્મચારીઓ,શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા.
આ રેલીમાં જન જાગૃતિ અભિયાનમાં બેનરો અને પ્લેકાર્ડ તેમજ લાઉડ સ્પિકર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.કોઈ ઘાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા સહિત નાઈલોન દોરા, ચીનાઈ દોરા અને કાચના ભુક્કાથી પકાવેલ દોરાનો ઉપયોગ ન કરવા બાબતે માહિતી આપી લોકોને જનજાગૃતિ આપવામાં આવી રહી છે.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is