best news portal development company in india

ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જીલ્લામાં ૨૧ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૦ કર્મચારીઓ આપશે સેવા

SHARE:

ભરૂચ,
ઉત્તરાયણ પર્વમાં પતંગ રસિયાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે આ દરમ્યાન કપાયેલા પતંગના દોરાથી નિર્દોષ વાહન ચાલકો ની જીવનની દોર ન કપાઈ તે માટે ભરૂચ જીલ્લામાં ૨૧ જેટલી ૧૦૮ એમબ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ બે દિવસ લોકોની સુરક્ષામાં ખડે પગે સેવા આપશે.
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતા ઉત્તરાયણ પર્વ આનંદ,મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે.ઉત્તરાયણનો તહેવાર ૧૪ અને ૧૫ મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે.છેલ્લા ચારથી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમ્યાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ બે દિવસ અપેક્ષિત ઈમરજન્સીને પહોંચી વળવા યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે.
પાછલા વર્ષોની માહિતીના આધારે ગુજરાતમાં ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આશરે ૨૮.૯૬ ટકા અને ૧૫ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આશરે ૧૯.૮૦ જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે.સામાન્ય દિવસોમાં આશરે ૩૮૦૯ જેટલા કોલ્સ નોંધાય છે જે ૧૪ મી જાન્યુઆરી ઉત્તરાણના દિવસે આશરે ૪૯૧૨ અને ૧૫ મી જાન્યુઆરી ઉત્તરાયણના બીજા દિવસે પણ કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે.ઉત્તરાયણ દરમ્યાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે.આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે.
જો ભરૂચ જીલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સમાં આશરે ૮૮ જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા ૧૪ જાન્યુઆરીના રોજ આશરે ૯૯ કેસ એટલે કે ૨.૨૭ ટકા અને ૧૫ મી જાન્યુઆરીના રોજ ૧૦૯ જેટલા કેસો એટલે કે ૨૩.૮૬ જેટલો વધારો જોવા મળશે એવુ અનુમાન કરવામાં આવી રહ્યું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!