(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગર ના ટકારી ભાગોળ સ્થિત આવેલ બહુચર માતાજી મંદિર ખાતે નાયક રેખાકુવર લાડુ કુવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજનું ભવ્ય સંમેલનનો પ્રારંભ કરાયો હતો.
સંમેલનના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મંડપ મૂર્હત,માતાજીનો નવચંડી યજ્ઞ, તથા જવારા,રામાપીર નો પાઠ,સામૈયું,નગર યાત્રા તથા માતાજીના જવારા વળામણા યોજાશે. જે અંતર્ગત આજરોજ માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો.વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સંગીતમય શૈલીમાં યજ્ઞ વિધિ યોજાઈ હતી.બપોરે ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન અને રાત્રે રામાપીરનો પાઠ યોજાયો હતો.બીજા દિવસે સવારે સામૈયું અને નગરયાત્રા જે શહેરના ટંકારી ભાગોળથી નીકળી રબારીવાસ સહિત શહેરના રાજમાર્ગો પર ફરી ભાગલીવાડ જઈ પરત ટંકારી ભાગોળ મંદિર ખાતે સમાપન કરવામાં આવશે. આમ જંબુસર ખાતે ચાર દિવસીય યોજનાર ધાર્મિક પ્રસંગે જંબુસર નગરની જનતાને દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is