best news portal development company in india

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં અદ્યતન રીડિંગ લાયબ્રેરીનો પ્રારંભ

SHARE:

– કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે રીડિંગ લાયબ્રેરીનું ઓપનિંગ કરાયું
ગાંધીનગર,
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીના રોજ આ રીડિંગ લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉદઘાટક તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વરદ હસ્તે રીડિંગ લાયબ્રેરીનું રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેરના સરગાસણ ચોકડી ખાતે આવેલા નક્ષત્ર બિલ્ડિંગમાં અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં સો થી વધુ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરી શકશે. આ રીડિંગ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્કની સાથે રોલિંગ ચેર અને બોસ ચેરની સુવિધા, લોકરની સુવિધા, વાઈ-ફાઈની સુવિધા, એસીની સુવિધા અને ડાયનિંગની સુવિધા આપવામાં આવી છે.
રીડિંગ લાયબ્રેરીના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. બાદ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. ઉદઘાટન પ્રસંગે હાજરી આપનાર કૃષિ મંત્રી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈનું ખોડલધામનો ખેસ પહેરાવી માં ખોડલની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટલે કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ દ્વારા સમાજની પ્રગતિ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણ તરફ વધુ એક મક્કમ પગથિયું છે.આ અનોખી પહેલથી યુવાનોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણમાં ઉત્તમ માહોલ મળશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખોડલધામ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપી સામાજિક વિકાસની પહેલ કરવામાં આવી છે. અદ્યતન રીડિંગ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરી વાંચન પ્રેમીઓ માટે શબ્દો સાહિત્યના કપાટ ખોલ્યા છે. ચેરમેન નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે રીડિંગ લાયબ્રેરી શરૂ કરવાથી ગાંધીનગર સ્થિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને એક સારો માહોલ મળી રહેશે. આ કાર્ય બદલ નરેશભાઈ પટેલે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન નરેશભાઈ પટેલ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ પરસાણા સહિતના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, મહેમાનો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની આભાર વિધિ કુંદનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના મંત્રી જી.એલ.રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી યોગેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.ગાંધીનગર ખાતે નિર્માણ પામેલી આ રીડિંગ લાયબ્રેરીનો લાભ સર્વ સમાજના યુવાનો લઈ શકશે. વધુ માહિતી માટે મો.નં. 74860 39344 પર સંપર્ક કરવા જણાવાયું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!