રાજપીપળા,
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી.પરંતુ વકીલોની હડતાળને કારણે તે મોકૂફ રહી છે.ચૈતર વસાવા પાંચમી જુલાઈથી જેલમાં બંધ છે.તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે.આ ઘટના ATVT (આદિજાત વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી.બંને નેતાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ.ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો.સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.હાઈકોર્ટમાં વકીલોની હડતાળ યથાવત રહેતા આજે (28મી ઓગસ્ટ) જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી.વકીલો કામથી અળગા રહ્યા હોવાથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતા તેઓએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.




