– રાજકુમારનો કાર્યકાળ ૩૧ મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા
સૌજન્ય,
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે.આ પહેલા ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર રહ્યા હતા.હવે રાજકુમારનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે.જેથી પંકજ જોશીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકુમાર આ મહિનાના અંતે સેવા નિવૃત થઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
પંકજ જોશીની વાત કરવામાં આવો તો, હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય ACS તરીકે ફરજ બજાવે છે.આ સિવાય પણ અનેક વિભાગોમાં તેઓ ફરજ બચાવી ચૂક્યા છે.જો કે હવે તેમને ખુબ જ મોટો અને મહત્વનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
પંકજ જોશી ગુજરાત કેડર ના ૧૯૮૮ બેન્ચના IAS અધિકારી છે.હવે તેમની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ક્યાકથી કાર્યભાળ સંભાળશે તેની વિગતો હજી સામે આવી નથી.જો કે રાજકુમાર આ મહિનાના અંતે સેવા નિવૃત થતા હોથી તેમની નિમણૂક મખ્ય સચિવ તરીકે કરવામાં આવી છે.પંકજ જોશીના વિશે વાત કરીએ તો, તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાશી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is