(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના લીમજ ગામના વતની અને હાલ અંકલેશ્વર રહેતા કૈલાસબેન દેસાઈભાઈ સિંધા કે જેમણે ભરૂચ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સાંવેગિક સ્વ-નિયમન તથા અનુફલનનો અભ્યાસ વિષય પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો.જેનો યુનિવર્સિટીએ સ્વીકાર કરી પી.એચ.ડીની પદવી એનાયત કરી છે.આ મહાશોધ નિબંધ તેઓએ ડૉ.પત્રલેખા એ.બારડ, પિન્સીપાલશ વી.ટી.ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજયુકેશન સુરતના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો.કૈલાસબેન સિંધાએ પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરતા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાનું ગૌરવ વધારેલ છે સાથે પરિવારજનો તેમજ સમાજબંધુઓએ તેઓને અભિનંદન પાઠવ્યા છે.




