આમોદ,
ભારતના ત્રણ યુવાનોના કેનેડાની બ્રામટોન સિટીમાં માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયાં હતા.ત્રણેય યુવકો કારમાં બેસીને ગત રોજ રાતના નોકરી જવા માટે નીકળ્યા હતા.ત્યારે ટ્રક સાથે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો.
કેનેડામાં માર્ગ અક્માતમાં થયેલાં મોતમાં ભરૂચ જીલ્લાના આમોદના કાલીકા માતાજીનાં મંદીર પાસે રહેતા રોહિતભાઈ લિંબચીયાના પુત્ર ઋષભ લીંબચીયાનુ કેનેડાની બ્રામટોન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયુ હતું.મરણ જનાર ત્રણ યુવાનો સહિત ઋષભ રોહિતભાઈ લિંબચીયા ઉપરાંત પંજાબ અને અમદાવાદના યુવકનો પણ સમાવેશ થાય છે.તેઓ કેનેડામાં અંટારિયો ખાતે રહેતાં હતાં અને પોતાના ઘરેથી ગતરોજ કાર લઈને હોન્ડા કંપનીમાં નોકરી કરવાં માટે જતાં હતાં ત્યારે ૬૦ કિલોમીટર દૂર રસ્તામાં બ્રામટોન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અક્સ્માત નડ્યો હતો.
આમોદના રોહિતભાઈ લિંબચીયાનો ૨૫ વર્ષીય પુત્ર કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો.એકના એક પુત્રનું મોત થતાં માતા પિતાને ભારે આઘાત લાગ્યો હતો અને તેમણે પોતાના ઘડપણની ટેકણલાકડી ગુમાવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is