best news portal development company in india

ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક માટે પ વાગ્યા સુધીમાં ૪૫.૦૫ ટકા નિરસ મતદાન નોંધાયું

SHARE:

– વૃદ્ધોએ મતદાન કરી મતદાનની પવિત્ર ફરજ બજાવી

આમોદ,

ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક માટે આજ રોજ સવારથી જ મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળતો હતો.વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ બજાવી હતી.મતદાન માટે વહેલી સવારે મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી હતી.

આછોદ બેઠકની પેટા ચુંટણી માટે ૨૯ ગામના ૪૨ બુથો પર મતદાન શરૂ થયું હતું.જે આછોદ બેઠક ઉપર સાંજે પ વાગ્યા સુધીમાં ૪૫.૦૫ ટકા મતદારો પોતાનું મતદાન કર્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ નાહિયેર ગામે મતદાન કર્યું હતું.અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.જો કે સાંજે પ વાગ્યા સુધીમાં ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક માટે માત્ર ૪૫.૦૫ ટકા જેટલું નિરસ મતદાન થયુ હતું.જેથી રાજકીય પક્ષોમાં પણ નિરાશા જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!