– વૈકલ્પિક રોજગારી માટેની આલિયાબેટ મુકામે મત્સ્ય ઉછેર માટે જમીન ફાળવણીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ,
ભરૂચ જીલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને વૈકલ્પિક રોજગારીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયાબેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફાળવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે.આ અંગે જે તે સમયે ખાતરી આપવામાં આવ્યા બાદ તેનો અમલ કરવામાં નથી આવી રહ્યો તેમ પણ આક્ષેપ કરાયો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is