– આચાર્યને રજૂઆત બાદ વિદ્યાર્થીઓએ હાજરી બાબતે ખાતરી આપતા મામલો સમેટાયો
ભરૂચ,
ભરૂચની શ્રી કે જે પોલિટેકનિક કોલેજના ઈલેક્ટ્રિકલ વિભાગના ૧૮૦ વિદ્યાર્થી માંથી ૧૦૭ વિદ્યાર્થીઓને આગામી ૨ જી એપ્રિલથી શરૂ થનાર કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે સામાજિક અગ્રણી અને NSUI ના પૂર્વ જિલ્લા પ્રમુખ યોગી પટેલ કોલેજ ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને આટલી મોટી સંખ્યા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ ૬૦ થી ૮૦ વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે.આજ વર્ષે પ્રથમ સેમીસ્ટરમાં ૨૩૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમીસ્ટરમાં ૧૮૦ વિદ્યાર્થી જ રહ્યા છે.૫૬ વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દિધી છે .જો હવે કોલેજ આ રીતે જ વિદ્યાર્થીઓને મિડ પરીક્ષાથી વંચિત રાખશે તો આગામી વર્ષોમાં કોલેજ અભ્યાસ છોડવાનો રેશિયો વધુ વધશે.કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું વાતાવરણ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે સંયોજન ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે.
બીજી બાજુ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય શૈલેન્દ્ર મિસ્ત્રીએ વિદ્યાર્થીઓને આચાર્યએ ૭૫ ટકાથી ઓછી હાજરી હોવા થી નિયમ મુજબ તેઓને પરીક્ષા આપતા અટકાવ્યાં હોવાનું કારણ જણાવ્યું હતું.જે બાદ વિદ્યાર્થીઓએ હવે હાજરી બાબતે સજાગ રહેવાની ખાતરી આપતા આચાર્યએ પરીક્ષામાં બેસવા દેવાની બાંહેધરી આપતા મામલો સમેટાયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is