સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે તમામ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો LIC કંપનીનો વીમો લેવામાં આવશે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓની આર્થિક સુરક્ષા માટે યુનિવર્સિટી દ્વારા વીમો લેવાનો આ નિર્ણય લેવાયો છે.. આ વીમો લેવાનો ઉદ્દેશ્ય અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને આર્થિક સુરક્ષા અને આપત્તિ સમયે સહાય મળે તેવો છે.. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના નિર્ણયને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરાશે. બોર્ડ ઓફ ડિરેક્ટર આને અંતિમ મંજુરી આપશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is