થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જીવ ગુમાવ્યા છે. 2300 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપ બાદ મ્યાનમારમાં કટોકટી લાદવામાં આવી છે. શુક્રવારે બપોરે થાઇલેન્ડ અને મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપના કારણે બેંગકોકમાં એક નિર્માણાધીન ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલા જ મોટા ભૂકંપની આગાહી કરી હતી. 1 માર્ચના રોજ અભિજ્ઞાના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, આગામી થોડા અઠવાડિયામાં અથવા વર્ષના મધ્ય સુધીમાં એક શક્તિશાળી ભૂકંપ મોટા પાયે તબાહી મચાવી શકે છે. ત્યારે આવો જાણીએ કે અભિજ્ઞા આનંદ કોણ છે જેમણે કોરોના વિશે પણ આગાહી કરી હતી.
નાની ઉંમરમાં જ શીખ્યા છે સંસ્કૃત
કર્ણાટકના મૈસુરના રહેવાસી અભિજ્ઞા આનંદ સૌથી નાની ઉંમરના જ્યોતિષી છે. તે 11 વર્ષની ઉંમરથી જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજ્ઞા 20 વર્ષના છે. તેમણે માત્ર 7 વર્ષની ઉંમરે ભગવદ ગીતા કંઠસ્થ કરી લીધી હતી. અને તેના માટે તેમણે નાની ઉંમરે જ સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું હતું. અભિજ્ઞાની praajnajyotisha.org નામની એક વીડિયો ચેનલ પણ છે. જેમાં સેંકડો વીડિયો અપલોડ થયેલા છે, જેમાં તેણે કેટલીક મોટી આગાહીઓ કરી છે.
સંશોધકોને શિક્ષણ આપે છે અભિજ્ઞા
તમને જણાવી દઈએ કે અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, વિનાશક ભૂકંપ આવવાનો છે. આ ઉપરાંત તેમણે તારીખ અને સ્થળો વિશે પણ જણાવ્યું હતું. અભિજ્ઞા આનંદે માત્ર સંસ્કૃત અને જ્યોતિષ જ શીખ્યા નથી, પરંતુ હવે તે 1200 બાળકોને અને 150 સંશોધકોને પણ શિક્ષણ આપી રહ્યા છે. જેની શરૂઆત તેમણે 2018 માં કરી હતી.
આ અગાઉ પણ અભિજ્ઞા કરી હતી ભવિષ્યવાણી
ઉલ્લેખનીય છે કે અભિજ્ઞા આનંદે આ અગાઉ તેમણે 2020 માં કોવિડ મહામારી, 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ, 2023 માં હમાસ-ઇઝરાયલ સંઘર્ષ અને 2024 માં બાંગ્લાદેશ બળવાની પણ આગાહી કરી છે. એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના મીડિયાએ તેમની આગાહીઓ પ્રસારિત કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is