best news portal development company in india

ભારતીયોની ઊંઘ હરામ, 57% ભારતીય કોર્પોરેટ્‌સમાં વિટામિન બી-12ની ખામી, સરવેના તારણ

SHARE:

આજના સમયમાં મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે, પૂરતી ઊંઘ જ મળતી નથી. આવી સ્થિતિ 59 ટકા ભારતીયોની છે. આટલા ભારતીયોને રોજની સળંગ છ કલાકની ઊંઘ પણ માંડ મળે છે. તેના પરિણામે બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન અને અનિંદ્રાની બીમારીમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે 21 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે મનાવાય છે અને આ  વર્ષે ઘૂળેટીના દિવસે 14 માર્ચ તેની ઉજવણી થઈ.

લગભગ 57 ટકા ભારતીય કોર્પોરેટ્‌સમાં વિટામિન બી-12ની ખામી

દેશના કુલ 348 જિલ્લામાં 61 ટકા પુરુષ અને 39 ટકા મહિલાઓ સહિત 43 હજાર લોકોને આ સરવેમાં નિંદ્રા અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે વીતેલા વર્ષમાં તમે કેટલી રાત પૂરેપૂરું ઊંધ્યા. તેમા 15685 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. તેમા બઘુ થઈને 59 ટકા લોકો એવા મળ્યા જેમણે જણાવ્યું હતું કે અમને છ કલાકની ઊંઘ પણ માંડ-માંડ મળે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!