best news portal development company in india

નેત્રંગ : સ્વામિનારાયણ મંદિર માંથી દસ હજારનો મોબાઈલ તસ્કરી જતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ નગરમા નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઈ કાલે સાંજના ચારથી પાંચના સમયગાળા દરમ્યાન મેઈન ગેટ તરફ થી આશરે ૨૦ થી ૨૫ વર્ષ ની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમા પ્રવેશ કરે છે. અને પ્રથમ પરિસરમા બનાવેલ મઢુલીમા થોડી વાર માટે બેસી ને પછી નિજ મંદિરમા પ્રવેશ કરે છે. જયા દાન પેટી મુકવામા આવેલ છે.ત્યા જઈને દાન પેટી ઉચકવાની કોશિશ કરે છે.પરંતુ તેનાથી દાન પેટી આધી પાછી નહિ થતા મંદિરમા ભજન કિર્તન સતત ચાલુ રહે તે માટે એક મોબાઈલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ જે મુકવામા આવેલ છે.તેની ઉપર સતત ભજન કિર્તન ચાલુ જ રહે છે.તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહિ આવતા મંદિરમા ભજન કિર્તનની ધુન ચાલતી હતી.તે મોબાઈલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઈન ગેટની બહાર જતો મંદિર પરિસરમા મુકેલ સીસીટીવીના ફૂટેજમા કેદ થઈ ગયો છે. મંદિર વહીવટકર્તાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી વસાવાને ચોરી થઈ તે સમયનો સીસીટીવી ફૂટેજ આપી આગળની તપાસ માટે રાવ નાંખી છે.

નેત્રંગ નગરમા કેટલાક જાહેર સ્થળો ઉપર તેમજ સરકારી કચેરીઓમા,પેટ્રોલ પંપો ઉપર પોલીસ તંત્ર થકી સીસીટીવી ચાલુ છે કે બંધ તે બાબતની કાર્યવાહી સમયે અંતરે થવી જોઈએ તે થતી નથી.જેને લઈને મોટે ભાગે સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!