એક તરફ સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી બીજી તરફ ભરૂચ પાલિકા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત

SHARE:

– દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે : જ્યાં ત્યાં લટકતા વીજ વાયરો સ્લેબના દેખાતા  સળિયા તો ગંદકીના ઢગ

– વેપારીઓની રજૂઆત બાદ પણ તંત્રની  નિષ્ક્રિયતાથી વેપારીઓ પરેશાન

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા સહિત સમગ્ર સરકાર  વારંવાર જેના માટે ગૌરવ લે છે તેવા લોખંડી પુરુષ સરદાર પટેલનું જે શોપીંગ સેન્ટર સાથે નામ જોડવામાં આવ્યુ છે તેવા શકિતનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ છે અને જ્યાં ત્યાંથી સ્લેબના પોપરા ખડવા સાથે આખું શોપિંગ જર્જરીત બન્યું છે.

હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહીં છે.એકતાનગર કેવડિયા ખાતે રોજે રોજ નવા આયોજનો થકી સરદાર પટેલના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે.તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ પાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે.આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે. શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે.જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે.સમગ્ર શોપિંગ સેન્ટરમાં 150 થી વધુ દુકાનો છે.જેમાં વિવિધ ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસિસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે રોજના હજારો લોકોની અવરજવર  થાય છે.સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશ વસાવાએ  જણાવ્યું હતું કે સરદાર જયંતીની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે પણ સરદારના નામ સાથે જોડાયેલ આ શોપિંગ સેન્ટરની અવદશાની જોઈ દુઃખ થાય છે.જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ  સહિત ફાયર જીવે જરૂરી સિસ્ટમ પણ નથી.વારંવાર સમસ્યા ઓ અંગે રજૂઆતો કરવા  છતાં પણ કોઈજ કામગીરી કરવામાં આવતી નથી.વેરાની ઉઘરાણી પણ ભારે થાય છે કેટલીક વાર આ માટેની ગ્રાન્ટ પણ આવી પણ મરામત થઈ જ નથી લોકોને અહીં આવતા પણ ભય લાગે છે.નગરપાલિકા જેમ નગરની ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરે છે તેવી જ રીતે નગરપાલિકા પોતાના જ દ્વારા નિર્મિત અને જેના સમારકામની જવાબદારી  નગરપાલિકાની જ છે તેવા સરદાર શોપિંગ સેન્ટરની હાલત ખુબ બિસ્માર થઈ ગઈ છે.એક તરફ સરદાર જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે તેઓના નામ સાથે જોડાયેલ ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરની મરામત કરવામાં આવે તો સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલી આપી કહેવાશે ત્યારે પાલિકા પોતાની નિષ્ક્રિયતા ત્યજીને તે માટે કામગીરી કરે તે આવશ્યક છે.


BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!