– બસ ધડાકા ભેર રોડની સાઈડે ઉતરી જતા આસપાસના લોકો દોડી આવ્યા : બે ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી
ભરૂચ,
ભરૂચની મનુબર ચોકડી નજીક મોડી રાત્રીએ કામદારોને લઈને જતી બસ ભડાકાભેર પલ્ટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાતા પોલીસ દ્વારા ડાયવર્ઝન આપી ટ્રાફિક હળવો કરી બે ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી હતી.જોકે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની શ્રી નંદ ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૬ એવાય ૫૨૫૨ તેના રાબેતા સમય મુજબ બસમાં કર્મચારીઓને લઈ દહેજની ગોદરેજ કંપનીમાં મોડી રાત્રિના સમયે જઈ રહી હતી.આ દરમ્યાન તે ભરૂચની મનુબર ચોકડી નજીકથી પસાર થઈ દહેજ તરફ જતી વેળા આગળ ચાલતા કન્ટેનર ચાલકે પોતાનું વાહન દબાવતા બસના ચાલકે પોતાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ રોડની સાઈડ નીચે ધડાકાભેર પલ્ટી મારી ગઈ હતી.જેની અવાજ આવતા આસપાસની સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બસ ચાલક અને અંદર સવાર કર્મચારીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે દહેજ તરફ જતો ટ્રાફિક જામ થઈ ગયો હતો.અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો.જોકે મોડી રાત્રીએ જ રોડની સાઈડ પર ઉતરી ગયેલ બસને બે ક્રેનની મદદથી પ્રથમ બસને રોડ ઉપર લાવવામાં આવી હતી અને ત્યાર બાદ બસને સીધી કરવામાં આવી હતી. અકસ્માતના પગલે સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.પરંતુ બસને મોટું નુકશાન થવા પામ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is