(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કિરણભાઈ મકવાણા,મંડળ પ્રમુખ, ઉપપ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર તાલુકા નિવૃત કર્મચારી મંડળમાં ૯૩૦ સભ્યો છે.પેન્શન મંડળની સ્થાપના ૧૯૭૮ માં કરવામાં આવી હતી અને દર બે વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહિ ઉદ્ધારના સ્લોગન સાથે સાધારણ સભા અને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી,કિરણભાઈ મકવાણા, પ્રમુખ એ એસ સૈયદ,ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા,અધ્યક્ષ હિરુભાઈ પઢિયાર,મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે મંડળના હોદ્દેદારો પ્રમુખ,ઉપપ્રમુખ,સેક્રેટરી સહિતની વરણી સર્વાનું મતે બિનહરીફ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સને ૨૦૨૩-૨૪ ના આવક જાવકના હિસાબો,ઓડિટ રિપોર્ટ,સહિત સાધારણ સભાની કાર્યવાહીમાં તમામ કામો ને સર્વાનુંમતે બહાલી આપવામાં આવી હતી.તથા મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી તથા જૂની પેન્શન યોજના લાગુ કરવા,આઠમાં પગાર પંચ,મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂ માં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું.આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર ૭૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is