– રાજપીપલા ખાતે નર્મદા કોંગ્રેસના ધરણા પ્રદર્શન સાથે વિરોધ પ્રદર્શન
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજપીપળા ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ ધરણા પ્રદર્શનમાં રણજીતભાઈ તડવી, જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવા,ભૂતપૂર્વ ધારાસભ્ય
રોહિતભાઈ પટેલ, ઉપપ્રમુખ, નર્મદા જિલ્લામાલવ બારોટ, ઉપપ્રમુખ, નર્મદા જિલ્લા ના ડો. કમલભાઈ ચૌહાણ, પ્રમુખ, રાજપીપળા શહેર કોંગ્રેસ, વાસુદેવભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ,વગેરે આગેવાનો કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી ભાજપા સરકાર નામહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીનેવિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025′ એટલે કે ‘VB-G RAM G’ (જી રામ જી) રાખવામાં આવ્યું છેજેનો નર્મદા કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
જિલ્લા પ્રમુખ રણજીત તડવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે.વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના જોગવાઈઓને નબળી પાડવામાં આવી રહી છે એમ જણાવી વિરોધ કર્યો હતો.




