best news portal development company in india

નેત્રંગ નગરમાં ભાટા કંપની વિસ્તારમાં સ્મશાનમાં ડાધુઓએ પથરાળ રસ્તો પરથી અર્થી લઈ મજબૂર

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ નગરમાં ભાટા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલ આદિવાસી સ્મશાનમાં જવા માટે નથી રસ્તો કે નાળુ મજબુરીમાં ડાધુઓએ પથરાળ રસ્તો પરથી અર્થી લઈને જવુ પડી રહ્યુ છે.

નેત્રંગ નગરમાં ત્રણ જેટલા સ્મશાન ગુહ આવેલ છે.જેમાં શ્રીજી ફળીયા પાસે રેલ્વે બિજ પાસે તેમજ રેલ્વે પાટાની ડાબી બાજુ એક સ્મશાન ગુહ આવેલ છે.જ્યારે ત્રીજુ સ્મશાન ગૃહ ભાટાકંપની વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિરની સામે અને અમરાવતી નદીના સામે કિનારે આવેલ સ્મશાન ગૃહ કે જ્યા નવી વસાહત,ભાટાકંપની, કોસ્યાકોલા, લાલમંટોડી,ફોકડી અને વડપાન ગામમાં વસતા આદિવાસી લોકો પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર આ સ્મશાન ગૂહ ખાતે કરતા હોય છે.આ સ્મશાન ગૃહ માં અંતિમ કરવા માટે નેત્રંગ-મોવી રોડ પર થઈ ને આવુ પડતુ હોય છે. મેઇન રોડ થી સ્મશાન ગૂહ આવવા માટે એક કોતર ઉતરીને આવવુ પડે છે,જ્યા ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોય તો ડાધુઓને ભારે તકલીફ નો સામનો કરવો પડે છે.ત્યાથી સ્મશાન ખાતે આવવા માટે કોઈ પણ રસ્તો નથી.અહિયા આવવા માટે મેઇન રોડ થી સ્મશાન જવા માટે ખેતર માલિક નાગરજીભાઈ પટેલે પોતાના ખેતર માંથી રસ્તો આપતા રાહત છે.જ્યારે નવીવસાહત, ભાટાકંપની,ફોકડી અને વડપાન ગામનાં ગામજનોએ સ્મશાન જવા માટે રસ્તાની સુવિધા અપુરતી છે.ડાધુઓને સામે કિનારે આવેલ સ્મશાનમાં જવા માટે ચોમાસાની સિઝનમાં કેડ સમા પાણી માંથી અરથિ લઈ ને જવુ પડે છે. અંતિમ સંસ્કાર માટેના લાંકડા ટેકટર કે ટેમ્પામાં બે થી ત્રણ કિ.મી.નો ફેરાવો ફરી લઈ જવા પડે છે.નવી વસાહત,ભાટાકંપની,ફોકડી અને વડપાનના રહીશોએ પોતાના સ્વજન ના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવા માટેની તકલીફ વર્ષો થી પડી રહી છે.જેને લઈને વારંવારની પાકા રસ્તાની તેમજ નાળુ બનાવવાની માંગને તંત્ર નજર અંદાજ કરતુ નથી. જેને લઈને આજની તારીખમાં નદીના પટ માંથી પથ્થરો વાળા રસ્તે મહામુસીબતે ડાધુઓએ અરથિ લઈને જવાની નોબત આવી છે.આજરોજ ભાટા કંપની વિસ્તારમાં રહેતા બાબુભાઈ ભીમાભાઈ વસાવાનુ અવસાન થતા ડાધુઓએ પથ્થરાળ રસ્તે જવાની નોબત આવી હતી.તંત્રના જવાબદાર અધિકારીઓ રોડ રસ્તા તેમજ નાળુ બનાવવા સર્વે કરી જતા રહે છે.પણ આજ દીન સુધી કોઈ કાર્યવાહી નક્કર થઈ નથી.જેને લઈને આદિવાસી સમાજમાં તંત્ર પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ઝઘડીયાના ધારાસભ્ય રીતેષ વસાવા તેમજ જીલ્લા સાંસદ મનસુખ વસાવા આદિવાસી પ્રજાની તકલીફોને દયાન પર લે તેવુ ચર્ચાઈ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!