best news portal development company in india

RTE હેઠળ એડમિશન કરાવવા આવતા વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજ ન માગશો, DEOનો આદેશ

SHARE:

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 2025-26ના વર્ષ માટે પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામા આવી છે. ત્યારે બાળકોના પ્રવેશ કન્ફર્મેશન માટે જતા વાલીઓ પાસેથી ખોટા કે વધારાના કોઈ પણ દસ્તાવેજ ન માંગવા માટે શાળાઓને આદેશ કરવામા આવ્યો છે.

બિનજરૂરી ડોક્યુમેન્ટ નહીં માંગવાના

અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ખાનગી શાળાઓને આરટીઈના પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો છે અને સૂચના આપવામા આવી છે કે, આરટીઈમાં જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેટલા બાળકોના વાલીઓ સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આવે ત્યારે તેઓ પાસેથી જરૂર હોય તેટલા જ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી માંગવામા આવે. એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે. બાળકોને પ્રવેશ આપી દેવાની કાર્યવાહી 8મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ કન્ફર્મ થતા વાલીને ફરજીયાત પહોંચ આપવાની રહેશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!