(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે થતા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ બનતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ઝઘડિયાથી અંકલેશ્વર તરફ જતા ધોરીમાર્ગ પર ઝઘડિયાની વાલિયા ચોકડીથી થોડે દુર કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા એક અજાણ્યા ઈસમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૨ જીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં ઝઘડિયાની વાલિયા ચોકડીથી થોડે દુર અંકલેશ્વર તરફ જતા ધોરીમાર્ગ પર આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના જણાતા એક અજાણ્યા ઈસમને કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા આ અજાણ્યા ઈસમને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક તેનું વાહન ઘટના સ્થળેથી લઈને નાશી ગયો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અજાણ્યા ઈસમને એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે જીતેન્દ્ર ગોવર્ધનભાઈ વસાવા રહે.ઝઘડિયા જી.ભરૂચનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરી સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાશી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is