કોંગ્રેસ છોડીને ભાજપાનો ખેસ પહેરનારા નર્મદાના લઘુમતી સમાજના આગેવાન ઈમ્તિયાઝ કાદરીએ ભાજપા સાથે છેડો ફાડી આપમાં જોડાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના વર્કિંગના ચેરમેન કાદરી ઈમ્તિયાઝ અલી કોંગ્રેસ અને ભાજપનો છેડો ફાડીને હવે ડેડીયાપાડાના ધારાસભ્ય  ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટી માં જોડાઈ ગયા છે.આ અગાઉ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ ભાજપા છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

ભાજપની જે સત્તાધારી પાર્ટી છે તેમાં નર્મદામાં છેલ્લા ઘણા વખતથી જુના પાયાના કાર્યકરો ભાજપા પાર્ટીમાં નારાજગી અનુભવી રહ્યા છે. ભાજપા છોડનારા કાર્યકરો આગેવાનોનું કહેવું છે કે અમારું માન સન્માન જળવાતું નથી.

અમારું કોઇ સાંભળતું નથી. અમારા વિસ્તારના લોકોના કામો થતા નથી.તો બીજી તરફ ભાજપા પાર્ટીમાં અંદરોઅંદરની લડાઈ હવે જગ જાહેરથઈ ગઈ છે. ભાજપના જ આગેવાનો એક બીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે પાર્ટીની ઇમેજ અને નેતાઓની ઈમેજ પણ ખરડાઈ રહી છે જેની સીધી અસર સંગઠન પર પડી રહી છે.

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને હવે લાગ્યું કે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્યની ભાજપની ટિકિટ નહીં મળે.કારણ કે ભાજપાના દિગ્ગજો ઉપરાંત કોંગ્રેસ માંથી આવેલા હરેશ વસાવા સહીતના આગેવાનો ધારાસભ્યની ટિકિટ માટે કતારમાં છે.ત્યારે મહેશ વસાવાને ડેડીયાપાડા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળે તો જીતવાની આશા દેખાય છે.એટલે ભાજપાને રામ રામ કરી દીધાં છે.રાજકારણમાં કોઈ સેવા કરવા નથી આવતું.દરેક ને હોદ્દા, ટિકિટ અને બીજા લાભો જોઈએ છે. જયા મળે ત્યાં હવે તો કાર્યકરો આગેવાનો દોડી રહ્યાં છે.અને પોતાના ગોડ ફાધરને શરણે જઈ પોતાનું સ્થાન મજબૂત કરવા માં પડ્યા છે.ત્યારે બીટીપી અને ભાજપ છોડીને કોંગ્રેસમાં મહેશ વસાવાને કેટલી સફળતા મળશે એ તો સમય જ બતાવશે.

ઈમ્તિયાઝ કાદરી કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામાં જોડાયા હતાં.હવે ભાજપામાંbના ફાવ્યું તો હવે લઘુમતી સમાજના નારાજ આગેવાન ઈમ્તિયાઝ કાદરી હવે ભાજપાને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

કાદરી ઈમ્તિયાઝ અલી ભાજપામાં ગૂંગળામણ અનુભવી રહ્યાં હતાં.મુલાકાતમાં ઈમ્તિયાઝ કાદરી જણાવે છે કે હાલ જે ભાજપા માં જે ભાંજગડ ચાલે છે. એનાથી તેઓ ખીન્ન છે.ભાજપા નર્મદામાં દિગ્ગજ નેતાઓના ગ્રુપ ચાલી રહ્યા છે.ત્યારે કોની સાથે રહેવું અને કોની સાથે ન રહેવું એની કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યાં છે.અંદરો અંદરની ખેંચાતાણીમાં આમ જનતાના કામો થતા નથી

હું તો સીઆર પાટીલના હસ્તે ખેસ પહેર્યો તે પહેર્યો પછી મને કોઈ હોદ્દો જ નથી આપ્યો.હું પાર્ટી નો સદસ્ય જ નથી બન્યો એટલે મારે રાજીનામુ આપવાનો કોઇ પ્રશ્ન જ નથી રહેતો.

ઇમ્તિયાઝ કાદરીનું કહેવું છે કે જે દિવસે હું પાર્ટીમાં જોડાયો તે દિવસે વાતચીત કરેલી કે પ્રદેશ લેવલ નો માણસ છું ભાજપામાં પણ મને પ્રદેશ કક્ષાનો હોદ્દો મળવો જોઈએ.પણ એવું કશું થયું નહીં.જયારે પણ ભાજપાની મિટિંગ હોય કે કોઇ મોટા કાર્યક્રમ હોય ત્યારે પણ મને પાર્ટીએ યાદ સુદ્ધા કર્યા નથી.

હું ભાજપા માં 200 કાર્યકરો સાથે જોડાયો હતો હવે અલગથી બીજા કાર્યક્રમમાં 500થી વધુ કાર્યકરો સાથે આપમાં જોડશું.એવી પોતાની પ્રતિક્રિયા આપી હતી.ત્યારે હવે ભાજપામાં જોડાનારા કાર્યકરો, આગેવાનો વધુ રાજીનામાં પડે કે પક્ષ છોડવાની નોબત આવે તે પહેલા ભાજપે પણ મનો મંથન કરવાની જરૂર છે કે કારણ કે નજીકના દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે.ત્યારે આવા ઘણા નવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!