GNFC એ દેશભક્તિ ભાવ સાથે 77મો ગણતંત્ર દિવસ ઉજવ્યો

SHARE:

ભરૂચ,

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) એ આજે 77મો ગણતંત્ર દિવસ ખૂબ ઉત્સાહ અને દેશભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.જેમાં કંપનીના રાષ્ટ્રનિર્માણ અને વિકાસ પ્રત્યેના પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપવામાં આવી હતી.

સભાને સંબોધતા રાજકુમાર બેનીવાલ, IAS, મેનેજિંગ ડિરેક્ટર GNFC એ કંપની તથા રાષ્ટ્રના વિકાસમાં કર્મચારીઓના સમર્પિત યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.આ વર્ષની થીમ “વંદે માતરમ – સ્વદેશી અપનાવો” તથા વિકસિત ભારત @2047 ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરતાં તેમણે કર્મચારીઓને સ્વદેશી ક્ષમતાઓ અને આત્મનિર્ભરતા અપનાવીને કામગીરીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પોતાના પ્રયાસોને સુસંગત કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે બેનીવાલે સંસ્થાની સુરક્ષા માટે સતર્કતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરક્ષા કર્મચારીઓને પુરસ્કારો અર્પણ કરી હતી.ઉપરાંત, સંસ્થાની કાર્યક્ષમતામાં સુધારો લાવતી મહત્વપૂર્ણ સૂચનો બદલ કર્મચારીઓ અને વિભાગોને પણ પુરસ્કારો તથા ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા.

વિકાસ પ્રત્યે GNFCની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં બેનીવાલે જણાવ્યું કે કંપની તેના હિતધારકો, સમુદાયો અને રાષ્ટ્ર માટે દીર્ઘકાલીન મૂલ્ય સર્જવા માટે સતત પ્રયત્નશીલ છે.તેમણે GNFCની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કર્યું તથા તેના સતત વિકાસ માર્ગ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમના સંબોધનના અંતે બેનીવાલે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના વ્યાવસાયિક તથા વ્યક્તિગત જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય તથા GNFCની સતત સફળતાની કામના વ્યક્ત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!