(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાની શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ના મુલાકાત નું આયોજન કર્યું હતું.
સરસ્વતી વિદ્યા મંદિરના ધોરણ ૬,૭ અને ૮ ના કુલ પંચાસી જેટલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ મિતેશભાઈ અને લાલજીભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને વિવિધ કાયદાકીય માહિતી આપી હતી.ઉપરાંત રાઈફલ હથકડી લોકઅપ વાયરલેસ વોકીટોકી સાયબર ક્રાઇમ ૧૧૨, ૧૦૮ કોમન નંબર વિગેરેની ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.ત્યાર બાદ સેવા રૂરલ યોજિત લાઈબ્રેરીની મુલાકાત કરી હતી. વોકેશનલ વિષય અંતર્ગત શાળામાં આચાર્ય સનુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ વર્ગ શિક્ષકો તથા શાળા સહાયકોએ ભાગ લીધો હતો.





