મુંબઈ : કરણ જોહરે કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘તુ મેરી, મૈ તેરા, મૈં તેરા તુ મેરી’માં હિરોઈન તરીકે ફરી અનન્યા પાંડેને તક આપતાં ફિલ્મ ચાહકો રોષે ભરાયા છે.
સિલેક્ટેડ નેપોકિડ્ઝને જ ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે બદનામ કરણ જોહરે ફરી અનન્યા પર પસંદગી ઉતારી છે. તે અંગે રિએક્શન્સ આપતાં નેટ યૂઝર્સે જણાવ્યું હતું કે કરણ જોહર પાસેથી કોઈ અપેક્ષા જ રાખી શકાય તેમ નથી. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે અનન્યાએ તેના દરેક પ્રોજેક્ટમાં ભાવવિહિન નિર્જિવ એક્ટિંગથી લોકોને નિરાશ કર્યા છે. પરંતુ, તેમ છતાં પણ કરણ જોહર બીજી કેટલીય પ્રતિભાશાળી નવી હિરોઈનોને અવગણીને અનન્યાને વારંવાર તક આપ્યા કરે છે.
કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધી યર ટૂ’થી જ અનન્યાએ ડેબ્યૂ કર્યું હતું. કરણ જોહરનાં પ્રોડક્શનની ‘ગહેરાઈયાં’ તથા ‘કેસરી ટૂ’માં પણ તે કામ કરી ચૂકી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is