નેશનલ હાઈવેમાં નેત્રંગ તાલુકાના ૧૨ ગામોની જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા ખેડૂતોએ કલેકટરને રજૂઆત કરાઈ

SHARE:

ભરૂચ,

હાઈવે ના સંપાદન માટે જમીનનું યોગ્ય વળતર સરકાર તરફથી જંત્રી રીવ્યુ કરીને ન મળે તો ઘણા ખેડૂતો જેવાકે ટોલનાકામાં પૂરેપુરી જમીન સંપાદન થતી હોય તો ખેડૂત જમીન અને ઘર વિહોણા બનશે અને ભરૂચ જીલ્લાના NHAI ના હાઈવે જે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું. તો અમારા નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં એ મુજબ વળતર આપવા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નેત્રંગ તાલુકો આદિવાસી (ST) અને ભરૂચ જીલ્લા માજ આવતો હોય તો અમોને અન્યાય કેમ?અસર ગ્રસ્ત ખેડૂતો પાશે જીવન નિર્વાહ માટે બીજી કોઈ જગ્યા નથી અને આપ સાહેબ અમારા વિસ્તાર ની ઓછી કીમત નક્કી કરો તો બજાર કીમત પ્રમાણે અમારા થી બીજી કોઈ જગ્યા ખરીદી શકાય નહી. તો અમારા ગરીબ કુટુંબ નું જીવન કેવી રીતે ચલાવવું. જેથી અમને ભરૂચ જીલ્લાના NHAI ના બીજા રોડનું વળતર શેહરી વિસ્તાર કરતા ચાર ઘણું મળવું જોઈએ.જાહેરનામું પડ્યા પછી વળતર ચુકવે ત્યાં સુધીનું ૧૫ ટકા વ્યાજ મળવું જોઈએ અને અમારા ટ્રાયબલ વિસ્તાર ને અન્યાય ન થાય એવી વિનંતી કરીએ છીએ.

જમીનની માપણી યોગ્ય રીતે ન થયેલ હોય ૨૦૧૭ રિસર્વે (પ્લોગેસન) દફતરે ભૂલ ભરેલી હોય તો ખેડૂતો ને સંપાદન થી જમીન ના માપમાં અસમંજસ છે.હાઈવે (NHAI) ના નિયમ મુજબ જે જમીન સંપાદન થયેલ છે.ત્યાર પછી ની જે જગ્યા ખાલી છોડવાની (કોમર્સશીયલ ધંધા માટે) તો ઓછા વળતર ને કારણે ગરીબ ખેડૂતો ને ઘણું નુકશાન થાય એમ છે અને જમીન ના નાના ટુકડાઓ પડી જશે.બજાર કિંમત અને જાહેર કરેલ એવોડ માં ઘણો તફાવત છે.

નેત્રંગ તાલુકામાં ખડૂતો ની જમીનની પાઈપ લાઈન, ઝાડ, તાર ફેનસીંગ,જેવી ઘણી વસ્તુઓ આ ૧૨ ગામો માં એવોડમાં લેવામાં ભૂલી ગયેલ છે.પ્રાંતમાં રજૂઆત કરવા છતાં ધ્યાન પર લીધેલ નથી.જેથી નેત્રંગ ગામોના સરપંચો અને ખેડૂત આગેવાનો દ્વરા કલેકટરને રજુઆત કરી યોગ્ય વળતર મળે અને આ વિષયને ધ્યાને લઈ ૧૨ ગામોના ખેડતોને યોગ્ય વળતર મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!