વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઈ : ભરૂચની બેંકોનું ૧૬,૭૪,૩૪૮ લાખનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

SHARE:

– જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસવાલ નિવાસીના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૬-૨૭ નું વિમોચન કરાયું 

– ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસવાલ નિવાસીના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ 

ભરૂચ,

ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસવાલ નિવાસીના અધ્યક્ષસ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ હતી.આ વેળાએ નિવાસી અધિક કલેક્ટરના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૬-૨૭ નું વિમોચન કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા,રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ચિરંજીવ કુમાર,બેંક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અનૂપ જ્યોતિષી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી,આર એમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યાદવેન્દ્ર કુમાર રાકેશ,ડી.આર.એમ બેન્ક ઓફ બરોડાના રાજીવ કુમાર,નાબાર્ડ અધિકારી સુજા શિબુ, આર-સેટી ડાઈરેક્ટર હર્ષલ પાટિલ, ઉપ જિલા વિકાસ અધિકારી નિકુંજ પટેલ, ડીઆરડીએ ડીએલએમ પ્રવીણ વસાવા, ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર કાજલ ભુવા, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર તથા તમામ બેન્કના જિલ્લા અધિકારી, નગર પાલિકા પ્રતિનિધિ સાથે જીલ્લાના અન્ય વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.  

ભરૂચ જિલ્લાની લીડ બેંક બેંક ઓફ બરોડા દ્વારા રૂ.૧૬,૭૪૩.૪૮ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે.આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે.જિલ્લાની ૩૬ બેંકો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ. ૪૦૬૦.૦૨ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂ.૧૧૭૨૦.૦૦ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ. ૮૮૩.૪૬ કરોડ,શિક્ષણ લોન માટે રૂ. ૧૬.૫૪ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેંકોને રૂ. ૬૨૬૪.૬૨ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે.જેમા બેંક ઓફ બરોડાને રૂ.૩૧૧૪.૨૯ કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.૧૪૨૭.૮૨ કરોડ,ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.૧૦૮૨.૩૭ કરોડ, ગુજરાત ગ્રામીણ બેંકને રૂ.૨૫૫.૩૪ કરોડ,એચડીએફસી બેંક ૩૨૯૨.૮૯ કરોડ પ્રમુખ લક્ષ્યાંક ફાળવેલ છે.આમોદ તાલુકાને રૂ.૪૭૮.૪૨.૨૫ કરોડ, અંકલેશ્વર તાલુકાને રૂ.૮૩૨૯.૭૪ કરોડ,ભરૂચ તાલુકાને રૂ.૫૨૭૯.૩૨ કરોડ,હાંસોટ તાલુકાને રૂ.૨૭૦.૦૭ કરોડ, જંબુસર તાલુકાને રૂ. ૬૮૩.૮૧ કરોડ,ઝઘડિયા તાલુકાને રૂ.૪૯૧.૦૪ કરોડ, વાગરા તાલુકાને રૂ. ૮૧૩.૬૯ કરોડ, વાલિયા તાલુકાને રૂ.૨૬૬.૨૮ કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ.૧૩૧.૧૩ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!