ભરૂચ,
અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ છ રથયાત્રાઓ યોજાવાની છે.ભરૂચ શહેરમાં ત્રણ,અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે.ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ ઉર્જા ચોકથી શરૂ થઈ લાલ બજાર,ચકલા,હાથીખાના બજાર અને સોનેરીમેલ સુધીના સમગ્ર રૂટ પર યોજાઈ હતી.
આવતીકાલે યોજાનાર રથયાત્રાઓ દરમ્યાન શાંતિ વ્યવસ્થાની કાળજી લેવા તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.શાંતિ સમિતિની બેઠકો યોજાઈ ચૂકી છે તેમજ કેટલાક અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is